સુરતનો ઘૃણાસ્પદ કિસ્સો - 14 વર્ષીય કિશોરી સાથે ભાગેલ વકીલ ઝડપાયો

સુરતનો ઘૃણાસ્પદ કિસ્સો - 14 વર્ષીય કિશોરી સાથે ભાગેલ વકીલ ઝડપાયો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 14 વર્ષની કિશોરી સાથે લગ્ન નક્કી થયા બાદ તૂટી જતા યુવક તેને લગ્નની લાલચ આપી ભગાડી જઈ બદકામ કર્યું હતું જે યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કિશોરીનો કબજો પરિવારને સોંપ્યો હતો.
સુરતના અમરોલી ખાતે રહેતા પરિવારની 14 વર્ષીય કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઇ હતી જે બાદ પોલીસે તપાસ શરૂ કરતા રાજસ્થાનના ચિત્તોડગઢ જીલ્લાનો રહેવાશી અને વ્યવસાયે વકીલ અમરાનાથ ચંદેલ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું. બનાવને લઇ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમે વકીલ ચંદેલને ઝડપી પાડયો હતો અને કિશોરીનો કબજો તેની માતાને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વકીલના કિશોરી સાથે લગ્ન નક્કી થયા હતા જોકે તેના પરિવારે ના પાડી દેતા તેને લગ્નની લાલચ આપીને ફરાર થઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બદકામ પણ કર્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.