કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું કારણ શોધી રહેલી સંસ્થા WHO એ કોરોના વાયરસ સંક્રમણના કેન્દ્ર અને તેના પ્રસારનું કારણ શોધી કાઢતા મોટો ખુલાસો કર્યો છે. ડબલ્યુએચઓના નિષ્ણાતોનું કહેવું છે કે તપાસમાં દરમિયાન મહત્વની વાત સામે આવી છે. ચીનના વુહાન શહેરમાંથી જ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે તેમજ તેમની જાણમાં પણ આવ્યું છે કે ચીનના વુહાનમાં વેચવામાં આવતાં સસલાં અને ઉંદરની પ્રજાતિના અમુક જીવો દ્વારા વાયરસ માણસમાં ફેલાયો હતો.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે આખી દુનિયામાં આ જીવો દ્વારા જ કોરોના ફેલાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ લાંબા સમયથી કોરોનાના કેન્દ્ર વિશે માહિતી મેળવવામમાં લાગી છે. ઉપરાંત એવું જાણવાના પણ [પ્રયત્ન થઇ રહ્યા છે કે વાયરસ ઉત્પન્ન કેવી રીતે થયો અને આખી દુનિયામાં કઈ રીતે ફેલાઈ ગયો ? જો કે નિષ્ણાતોનું કહેવું એવું છે કે હજુ વુહાનના એનિમલ માર્કેટમાં આ જીવોના સપ્લાયર્સની તપાસ કરવાની જરૂર છે. અને હજુ એ તપાસ કરવાની જરૂર છે કે આ માર્કેટમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે કયા જીવીત કે મૃત જાનવરોને વેચવામાં આવ્યા હતા. યુરોપમાં કેસો સામે આવ્યા બાદ ચીને મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ કર્યું હતું. ગત સપ્તાહે જ ડબલ્યુએચઓના નિષ્ણાતોની ટીમ ચીનથી પરત ફરી છે. ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ નિષ્ણાતોની ટીમે જણાવ્યું હતું કે લેબમાંથી વાયરસ ફેલાવાની વાત માની શકાય તેવી નથી અને વુહાનની એનિમલ માર્કેટમાંથી જ વાયરસ ફેલાયો છે તે વાત પણ સ્પષ્ટ નથી. એટલું જ નહીં પ્રારંભીક રિપોર્ટમાં ચામાચીડીયા દ્વારા કોરોના ફેલાયાનો દાવો કરાયો હતો પરંતુ નિષ્ણાતોના મતે હજુ એ વાતને પણ સ્પષ્ટ સંકેત મળ્યા નથી.