હળવદ : રણજીતગઢ મંદિરમાં 38 હજારની ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ

હળવદમા ચોરીના બનાવોમા નોધપાત્ર વધારો થયો છે જેમાં માળિયા હાઈવેપર રણજીતગઢ પાસે આવેલા સ્વામી નારાયણ મંદિરમાં તસ્કરો દિવાલ કુદીને ઓફિસમાં 38 હજારના મુદ્દામાલની ચોરીની ફરીયાદ સંચાલક દ્વારા નોધાવી છે.
હળવદના રણજીતગઢ પાસે હરિકૃષ્ણ ધામ સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે જેમાં હરિકૃષ્ણ ધામ સ્વામીનારાયણ મંદિરના સંચાલક માવજીભાઈ રામજીભાઈ રંગાડીયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મંદિરમાં ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મંદિરની અંદર તારીખ 17/2ના રોજ રાત્રીના એકથી સાડા ત્રણ વાગ્યા સુધી અજાણ્યા પાંચ જેટલા શખ્સો મોઢા ઉપર કપડા બાંધીને મંદિરની દિવાલ કુદીને ઓફિસમાંથી તાળા તોડી રોકડ અને સોનાની વીંટી 38,800 મુદ્દામાલની ચોરી થયાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે.