લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પંજાબી એક્ટર દીપ સિધ્ધુના રાજકીય કનેક્શન - સની દેઓલે કહ્યું મારે કોઈ સંબંધ નથી

લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પંજાબી એક્ટર દીપ સિધ્ધુના રાજકીય કનેક્શન - સની દેઓલે કહ્યું મારે કોઈ સંબંધ નથી

કૃષિ બિલમાં આંદોલનકારી રહેલા ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં તા.26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલકિલ્લા પર થયેલા હિંસાનો આક્ષેપ પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર લગાવયો હતો. દીપ સિદ્ધુએ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે લાલ કિલ્લા ઉપર તેણે જ ઝંડો ફરકાવ્યો છે પરંતુ પોતોના ઉપર લાગેલ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ ફગાવી દીધો છે. તેણે કહ્યું હતું કે કેટલાક સંગઠનોના નેતાઓને નક્કી કરેલ રૂટને ફોલો ન કરવાની વાત પહેલાથી જ કરી હતી જે વાતને ભારતીય કિસાન યુનિયનને નકારી કાઢી છે. જેને લઇ ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા ઉપર જવાનો કોઇ કાર્યક્રમ ન હતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેરીને આઉટર રિંગરોડથી લાલ કિલ્લા ઉપર લઇ ગયો હતો. ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા.
કીર્તી કિસાન યુનિયનના ઉપાધ્યક્ષ રજીન્દર સિંહ દીપસિંહવાલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શરૂઆતથી જ ખેડૂત આંદોલનને સાંપ્રદાયિક રંગ આપવા ઇચ્છતી હતી. દીપ સિદ્ધુએ તેમની સારી સેવા કરી છે.
પંજાબી એક્ટર દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત 2 મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા શિખ ફોર જસ્ટિસ સાથેના સંબંધોને લઇને NIA એ નોટિસ પણ મોકલી હતી. દીપ સિધ્ધુએ ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.
પંજાબી એક્ટર દીપ સિધ્ધુના સની દેઓલ સાથેના સબંધો ચર્ચામાં આવતા સની દેઓલે કહ્યું છે કે તેમનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. સની દેઓલે આ વાતનો ખુલાસો એટલે કરી રહ્યો છે કે સની દેઓલનો ચૂંટણી પ્રચાર  દીપ સિદ્ધુએ કર્યો હતો જેને લઇ તે સની દેઓલનો ખૂબ ખાસ છે. ગત લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ભાજપની નજીક હોવાની વાતને લાઇને સોશિયલ મીડિયા ઉપર તેની વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સાંસદ સની દેઓલ સાથેની તસવીરો વાયરલ થઇ રહી છે.