Bharuch : પ્રેમીએ પ્રેમિકાની તિક્ષ્ણ હથીયારના ઘા મારી કરી હત્યા

વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પ્રેમિકાની તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પતિના મૃત્યુ બાદ ત્રણ સંતાનોની માતા પોતાના પ્રેમી સાથે રહેતી હતી દ્ર્મ્યાન્બનને વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ જ પ્રેમિકાને રહેસી નાખી હતી
વાલિયાનાં રામપરા ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે જેમાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.વાલિયાના રામપરા ગામે રહેતી મીના બહેન પરીખના પતિ આનંદભાઈનું મૃત્યુ થતા તેનો અમદાવાદના ધોળકા ખાતે રહેતા ગણપત કબીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.પતિના મૃત્યુ બાદ બન્ને સાથે રહેતા હતા દરમ્યાન ગતરાત્રીનાં બન્ને વચ્ચે પારિવારિક બાબતે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પ્રેમી ગણપત કબીરાએ મીનાબહેનનું ચપ્પુ વડે ગળું રહેસી નાખી શરીરના અન્ય ભાગે પણ ચપ્પુના ઘા માર્યા હતા જેમાં ગંભીર ઈજાના પગલે મીનાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.આ તરફ પ્રેમી ગણપત કબીરા હત્યાના ગુન્હાને અંજામ આપ્યા બાદ ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડ્યો છે.વાલિયા પોલીસે બનાવ સદર્ભે હત્યાનો ગુન્હો નોધી ફરાર આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.મીના પરીખને તેના પતિ થકી ત્રણ સંતાનો હતા જો કે પ્રેમ સંબંધમાં ત્રણ બાળકોએ પ્રથમ પિતા અને બાદમાં માતાની છત્રછાયા પણ ગુમાવી છે