Jamjodhpur : શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભ્યાનનો શુભારંભ કરાયો

જામજોધપુર શહેરમાં ગાયત્રી મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભ્યાનનો શુભારંભ કરવામાં આવ્યો.
જામજોધપુર ગાયત્રી મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભ્યાન નો રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા ,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ કડીવાર , જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા ની આગેવાની માં શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા પાંચ લાખ ૧૧ હજાર ૧૧૧ જેવી રકમ વિવિધ આગેવાનો દ્વારા એકઠી કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેર તાલુકાના વિશાળ સંખ્યામાં હોદેદારો , પદાધિકારીઓ ,તથા શ્રી રામ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.