Chalthan : શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ યુવા મોર્ચા દ્વારા સમગ્ર ગુજરાતમાં જયારે યુવાનોનાં રાષ્ટ્ર ગુરૂ એવાં શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે ત્યારે સુરત જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખશ્રી અંકુરભાઇ દેસાઈ દ્વારા પલસાણા તાલુકાનાં ચલથાણ ગામ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હિન્દુ રાષ્ટ્રનાં પ્રણેતા,વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ ને પ્રસ્થાપિત કરનારા તેમજ યુવાનોનાં રાષ્ટ્ર ગુરૂ એવાં શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખશ્રી અંકુરભાઇ દેસાઈ દ્વારા ચલથાણ ગામ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમનાં દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની છબી આગળ પુષ્પાંજલી અર્પણ કરી તેમનાં વિચારોને યાદ કરવામાં આવ્યાં હતાં અંકુરભાઇ દ્વારા સ્વામી વિવેકાનંદજી ના ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના સિધ્ધાંતને આજની યુવા પેઢી માટે માર્ગદર્શન પૂરું પાડનારો ગણાવ્યો હતો તેમજ આજનો ભારત દેશનો યુવા એ આવતીકાલના નવ ભારત નિર્માણ હેતુ સાથે વધું આગળ વધી ભારતને વિશ્વ ગુરુ સ્થાપીત કરવા સુધી સક્શમ છે તેમ તેમણે જણાવ્યું હતું
સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે સુરત જિલ્લા યુવા મોર્ચા પ્રમુખશ્રી દ્વારા આજરોજ ચલથાણ ગામ ખાતે થીં એક ભવ્ય અને વિશાળ મોટરસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનાં હતાં જેની સમપૂણ તૈયારી જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ તથાં પલસાણા તાલુકા યુવા મોર્ચાનાં ઉપ પ્રમુખ સુનીલભાઈ તેમજ સોહમ પટેલ દ્વારા કરી દેવામાં આવી હતી પરતું ગતરોજ ચલથાણ ગામ ખાતે રહેતા આશાસ્પદ યુવાનનું આકસ્મિક નિધન થતાં જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખશ્રી અંકુરભાઇ દ્વારા નિધન થનાર યુવાન તથાં તેમનાં પરીવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં બાઇક રેલીનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સ્વામી વિવેકાનંદજીની છબી આગળ ફુલ પુષ્પો અર્પણ કરી સ્વર્ગસ્થ યુવાનનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સાથે મોન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.