Diyodar : કોવિડ -19 ની ગાઈડ લાઇન મુજબ મેળા પર રોક લગાવી

વર્ષોની પરમ પરા મુજબ યોજાતો મેળો રદ
રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસમાં સતત વધારો થઈ રહો છે જેના અનુસંધાને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ -19 ની ગાઈડ લાઇન મુજબ મેળા પર રોક લગાવી છે અને જિલ્લા કલેકટર દ્વારા નિયમો નું ચુસ્ત પાલન થાય તેવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિગળાજ માતાજી ના મંદિર ખાતે વર્ષો ની પરમ પરા મુજબ યોજવામાં આવતો કાર્તિક સુદ પૂર્ણિમા ના દિવસે ભરાતો મહા મેળો બંધ રાખવો નો નિર્ણય લેવામાં આવ્યો છે ધનકવાડા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા મેળો રદ રાખ્યો હોવાનો પરિપત્ર જાહેર કર્યો છે તેમજ મંદિર ના ટ્રસ્ટી દ્વારા પણ મેળા ના દિવસે માત્ર બહાર થી દર્શન કરવા તથા લોકો ને એકઠા ના થવા અપીલ કરવામાં આવી છે અને દરેક વહેપારી ને નિયમ નું પાલન કરવું તથા બહાર થી આવતા વહેપારીને ના આવવા આહવાન કરાયું છે