Gir somnath : દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં

દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.
ફિશ એક્સપોર્ટરોના ચાઈનામાં એક હજાર કરોડ ફસાયા
તો માછીમારોના ફિશ એક્સપોર્ટરો પાસે 800 કરોડ ફસાયા
મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર
ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો
કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી
વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના 20 થી વધુ બંદરોના માછીમાર આગેવાનો બેઠકમાં ઉપસ્થિત
માછીમાર ઉધોગ ને જીવંત રાખવા પી.એમ મોદી ને કરશે રજુઆત
માછીમારોના અનેક પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવા વેરાવળમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા દિવ-દમણના 20 થી વઘુ બંદરોના માછીમારો આગેવાનો, ફીશ એક્ષપોર્ટર એસો. સહિતના પ્રતિનિઘિઅોની મહત્વપુર્ણ ચિંતન બેઠક મળી હતી.
જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલના અઘ્‍યક્ષસ્‍થાને બે સેશનમાં મળેલી બેઠકમાં કોરોનાના લીઘે માછીમારોના અને મતસ્‍યોઘોગની ઉદભવેલી સમસ્‍યાઅોની ચર્ચાઅો કરી કેન્‍દ્ર સરકાર હસ્‍તક્ષેપ કરી મદદ કરે તેવી લાગણી વ્‍યકત થઇ હતી.
કોરોના કાળની વિપરીત અસરથી માછીમાર ઉઘોગને મોટો ફટકો પડયો હોવાથી માછીમારો બેહાલ બની ગયા છે.
માછીમારોના એક્ષપોર્ટ કંપનીઅો પાસે 800 કરોડની રકમ ફસાઇ છે
આ પરિસ્‍થ‍િતિના કારણે ચાલુ સીઝનમાં તીવ્ર અાર્થીક સંકળામણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજયની મોટાભાગની ફીશીગ બોટો ઠપ્‍પ થવાની સ્‍થ‍િતિ ઉદભવી છે.
જે અંગે બોટ એસો.ના તુલસીભાઇએ જણાવેલ કે, છેલ્‍લી બે સીઝનમાં વારંવાર આવતા વાવાઝોડાના કારણે તથા ગત વર્ષે માર્ચમાં અાવેલ કોરનાના કારણે માછીમારી સીઝન વ્‍હેલી બંઘ કરવી પડી હોવાથી માછીમારો અાર્થીક સંક્રામણનો સામનો કરી રહયા હોવાથી સરકાર પાસે મદદની ગુહાર લગાવેલ જે સંતોષાયેલ ન હતી.
જયારે ચાલુ વર્ષે સીઝનની શરૂઅાતમાં જ ડીઝલના વઘેલા અસહય ભાવોથી માછીમારી કરવા જવા પાછળ થતા ખર્ચામાં ખાસો વઘારો થયો છે.
અાવા સમયે સીઝન નબળી હોવાથી મચ્‍છીનો પુરતો ભાવ મળતો નથી. કોરોના કારણે ઉદભવેલી પરિસ્‍થ‍િતિના કારણે ફીશ એક્ષપોર્ટ કંપનીઅો પાસે માછીમારોના મચ્‍છીના માલના રૂ.800 કરોડ જેવી રકમ ફસાઈ છે. ત્‍યારે માછીમારોને સત્‍વરે ચુકવણું નહીં થાય તો ના છુટકે એક માસની અંદર 25 હજારો બોટોને લાંગરી માછીમારી બંઘ કરવાની ફરજ પડશે.
માછીમારી થકી સાડા ત્રણ લાખ લોકો રોજગારી મેળવે છે તે બેરોજગાર બની જશે.
જેથી આ ઉદભવેલ જટીલ સમસ્‍યાનું વ્‍હેલીતકે નિરાકરણ લાવવા આગામી દિવસોમાં પ્રઘાનમંત્રી, સાંસદને રજુઆત કરી હસ્‍તક્ષેપ કરી મદદે આવવા માંગણી કરવાનું નકકી કરાયુ છે.
સી ફુડ એક્ષપોર્ટ એસો.ના ગુજરાત રિજીયન ના પ્રમુખ પીયુષ ફોફંડીએ જણાવેલ કે, ભારતમાંથી ફીશનું ચીનમાં થતુ એક્ષપોર્ટ પૈકીનું 65 ટકા ગુજરાતમાંથી થાય છે.
કોરોના કાળમાં ગુજરાતમાંથી એક્ષપોર્ટ થયેલા 1 હજાર જેટલા કન્‍ટેનરો ચીનમાં નિકાસ કરાયા હોય જે રસ્‍તામાં અથવા ત્‍યાંના બંદરોમાં પડયા છે.
કોરોનાના કારણે ફીશની નિકાસ મંદ રીતે થઇ રહી હોવાથી હાલ ફીશ એક્ષપોર્ટરોની 1 હજાર કરોડ જેવી રકમ વિદેશમાં બાકી છે. જેમાંથી અંદાજે 800 કરોડ જેવી રકમ એક્ષપોર્ટરોએ સ્‍થાનીક જુદા-જુદા બંદરોના માછીમારોને ચુકવવાના છે.
જયારે બાકીના બેંકોમાંથી લીઘેલ લોનનો ચુકવાના છે.
વિદેશમાંથી એક્ષપોર્ટરોનું ચુકવણું ઘીમુ આવતુ હોવાથી માછીમારોને ચુકવણીની સાયકલ ખોરવાય છે.
ત્‍યારે એક્ષપોર્ટરોને બેંકો પાસેથી વઘુ લોન લઇ માછીમારોને શકય તેટલું વઘુ ચુકવણું કરી મદદરૂપ થવા એસો.એ અપીલ કરી છે.
ફીશ એક્ષપોર્ટરોના એમએસએમઇના અંદાજે 200 કરોડ જેવી રકમ સરકાર પાસે લેણી હોય જે સત્‍વરે છુટી થાય તો અમો માછીમારોને ચુકવી શકીએ. જે માટે પણ એસો. સરકારને રજુઅાત કરી રહી છે.
અંકદરે ભારત દેશને વર્ષ હજારો કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઇ અાપતો અને દેશના જીડીપીમાં મહત્‍વનું હીસ્‍સો ઘરાવતા મત્‍સ્‍યઘોગ પડી ભાંગવાના અારે પહોચ્‍યો છે ત્‍યારે જો સરકાર તાકીદે અા બાબતની ગંભીરતા ઘ્‍યાને નહીં લે તો આવનારા દિવસોમાં લાખો લોકોની રોજગારીની વિકટ પરિસ્‍થ‍િતિનું નિર્માણ થવાની ભિતી માછીમારો અાગેવાનો અને ફીશ એક્ષપોર્ટરોએ વ્‍યકત કરી છે.