Jetpur : મેવાસા ગામે યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ

જેતપુરના મેવાસા ગામે યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ ખેડૂતે ખરીદી કરેલ યુરિયા ખાતરની થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળી હોવાનો આક્ષેપ
જેતપુરના મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર જ્યારે ખરીદી કરવામાં આવ્યું ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર શુદ્ધ નાઇટ્રોજનમાંથી બનતું હોય છે ખેડૂતો એ જણાવ્યું હતું અને આ ખાતર એટલું શુદ્ધ હોય છે કે 24 કલાક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો પણ બાષ્પીભવન થઈ જાય પરંતુ કૃભકો કંપનીના યુરિયા ખાતરની થેલીઓ જ્યારે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી ત્યારે ખાતરની સાથે સાથે થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળતા આશ્ચર્યચકિત થયા હતા ત્યારે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શિયાળુ પ્રથમ સિઝન સમયે જ આ પ્રકારની છેતરપીંડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા મેવાસા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને  યુરિયા ખાતર બનાવતી આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.
કૃભકો કંપનીના યુરિયા ખાતરમાંથી ધૂળ અને પથ્થર નીકળતા મેવાસા ગામના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી જેમના પગલે ખેતીવાડી અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે .