Junagadh : કેશોદમાં રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ

આગામી મકરસંક્રાંતિના તહેવારમાં લોકોને એક જગ્યાએથી પતંગની તમામ વેરાયટી રાહત ભાવે મળી રહે તેવા ઉદેશથી કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના લાભાર્થે પતંગ મોલનો શુભારંભ કરવામાં આવ્યો
આગામી મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યોછે તયારે પતંગ રસીકોને સસ્તુ સારૂ પતંગ દોરા ફીરકી સહીતની વિવિધ પ્રકારની વેરાયટી એક જ જગ્યાએ મળી રહે તેમજ તેમાંથી થતી આવક કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના લાભાર્થે પતંગ મોલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલછે કેશોદના રાજ સિનેમા રોડ તુલસી પુજા કોમ્પ્લેક્ષમાં કેશોદ ગૌરક્ષક પાંજરાપોળના હોદ્દેદારો તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી પતંગ મોલનો શુભારંભ કરવામાં આવ્યો છે જે મોલમાં તમામ વેરાયટી ભારતીય બનાવટની સાથે રાહત ભાવે પતંગને લગતી તમામ વેપારીઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ છે જેનો કેશોદ તાલુકાભરના તથા આજુબાજુના વિસ્તારોના લોઓએ લાભ લેવા સોશ્યલ ડીસ્ટ્નટના પાલન સાથે સાથ સહકાર આપવા કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના હોદ્દેદારો દ્વારા લોકોને અપિલ કરવામાં આવી છે