Junagadh : મતવાવાડ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા પાલીકા કર્મીઓ પર હુમલો

માંગરોળ નગરપાલીકા કર્મચારીઓ પર સ્થાનિક રહીશો દ્વારા હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઇ
જુનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલીકા કર્મચારીઓ આજ રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મતવાવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી નીકાળતા લોકો માટે તપાસ કરવા ગયા હતા તે દરિમયાન સ્થાનિક રહીશો દ્વારા પાલીકા કર્મીઓ પર હુમલો કર્યો હતો.
મતવાવાડ વિસ્તારમાં એક રહીશ દ્વારા રસ્તા પર પાણી ઢોળવામાં આવતું હતું ત્યાં પાલીકા કર્મચારી ઓ જતા ત્યાંના રહીશો દ્વારા ભૂંડી ગાળો આપી લાકડીઓ તેમજ પાઇપ સાથે કર્મીઓ પર હુમલો કર્યો હતો અને તેમની બાઈક ને પણ નુકસાન કર્યું હતું.
આ ઘટના ને લઈ પાલીકા કર્મચારીઓ દ્વારા એસટ્રોસીટી સહિત ફરજ રુકાવટની ફરિયાદ ત્રણ મહિલાઓ સહિત ૭ લોકો સામે સામે કરી છે.
પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રસ્તાઓ પર પાણી નીકાળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલીકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.