Katchh : બેઘર લોકો માટે રેન બસેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

કચ્છનાં પાટનગર ભુજમાં નગરપાલિકા દ્વારા રૂ.1 કરોડના ખર્ચે બેઘર લોકો માટે શેલટર હોમ બનાવવામાં આવનાર છે જે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,ભુજના ખારસરા મેદાનમાં રેન બસેરા 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનાવાશે જેમાં 100 રૂમો બનાવાશે ખાસ તો બગીચા તેમજ નાહવા, રહેવા,જમવાની સવલતો ઉપલબ્ધ કરાવાશે,ફૂટપાથ પર પડયા પાથર્યા રહેતા અને બેઘર લોકો માટે આ શેલટર હોમ બનાવવામાં આવશે,નગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ વિકાસકામો હાથ ધરાઈ રહ્યા છે જે અંતર્ગત આજે રેન બસેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે વેળાએ ભુજ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત અધિકારી- કર્મચારી હાજર રહ્યા હતા