Khedbramha : સાંસદ રમીલાબેન બારાના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ધઘાટન કરાયું

રાજયસભાના સાંસદ રમીલાબેન બારાના મધ્યસ્થ કાયાઁલયનુ આજે દશેરાના પવિત્ર દિવસે સંતશ્રી તુલસીદાસજીના હસ્તે ખેડબ્રહ્મા શહેર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ જેમાં ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેડબ્રહ્માના પૂવઁ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ રાજયસભાના સાંસદ રમીલાબેન બારાના મધ્યસ્થ કાયાઁલયનુ આજે વિરેશ્વર ધામના પૂ.સંતશ્રી તુવસીદાસજીના કરકમળોથી આજે દશેરાના પવિત્ર દિવસે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ, જેમાં સાબરકાંઠા જીલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમા વિકાસના કામો ઝડપથી થાય અને આમ જરુરીયાત નાગરીકોની માગણીઓ સંતોષાય તેવા આશિવાઁદ સંત તુલસીદાસજી એ રમીલાબેન બારાને આપ્યા હતા.
જયારે સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યુ હતુ કે આદીવાસી વિસ્તારના અધુરા કામો પુરા કરવાની ખાત્રી આપી હતી.