Nasvadi : કોંગ્રેસ સમિતિ તરફથી સર્વગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અપાઈ

નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી સર્વગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અપાઈ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલની આંખો અશ્રુભીની થઇ 
વિશ્વ કોરોના મહામારીમાં રાજ્ય સભાના સાંસદ તેમજ કોંગ્રેસના પથદર્શક ગણાતા અહેમદભાઈ પટેલનું કોરોના સંક્ર્મણથી દિલ્હી ખાતે તા. ૨૪-૧૧-૨૦૨૦ના રોજ મોત થતા કોંગ્રેસ પક્ષમાં તેમજ કાર્યકરોમાં માતમ છવાયો છે ત્યારે તેણે લઈને આજરોજ નસવાડી એ. પી. એમ. સી. ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં તાલુકા પ્રમુખ તેમજ સહેજાદ વકીલ એન એસ યુ આઈ ના જીલ્લા પ્રમુખ નોફિલ મેમણ સરપંચ ગીતાબેન તડવી જીલ્લા પંચાયત સભ્યો હાજર રહ્યા હતા ત્યારે  પ્રાસંગીક પ્રવચન કરતા કરતા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલની આંખો અશ્રુ ભીની આંખે ધીરુભાઈ ભીલે  જણાવ્યું હતુંકે અહેમદભાઈ પટેલ દ્વારા પક્ષના નાનામાં નાના કાર્યકર ની ચિંતા રહેતી હતી હું ૧૯૮૫ થી તેમની સાથે છું જ્યારે નસવાડી તાલુકામાં પણ કોઈ વિકાસની ગ્રાન્ટની જરૂરીયાત પડતી ત્યારે અહેમદભાઈ કોઈ દિવસ કોઈને ના નથી પાડી તાલુકાના અનેક કામો કર્યા છે આજે તેમના મરણના સમાચાર આવતા સમગ્ર તાલુકામાં માતમ છવાયો હતો ત્યારે આદીવાસી કાર્યકરોએ તેમણે રૂબરૂ ના જવાયુ પણ તેમણે શ્રદ્ધાંજલી તો આપી શકાય તે હેતુ થી આજરોજ શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો