Navsari : વાંસદા ખાતે આદિવાસી લોકોને જમીનના હક્કો અપાયા

વાંસદા ખાતે આજ રોજ વેન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાના અઘ્યક્ષતામાં આદિવાસી લોકોને જમીનના હક્કો અપાયા
વાંસદાના એગ્રી મોલ ખાતે વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂતોને આદેશપત્રો અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આદિવાસી લોકો એ હાજરી આપી હતી જેમાં 280 જેટલા જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનદ પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રી ગણપત વસાવાએ અગાઉની કોંગ્રેસ સરકારે માત્ર વાયદાઓ કર્યાં છે અને એક પણ આદિવાસી ને જમીનના હક્કો આપ્યા નથી જેથી કરી ને હમણાં ની સરકાર એબઆદિવાસી લોકોનો વિચાર કરી આદિવાસીઓ ને એમના હક્કો આપ્યા છે એમ જણાવી કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.