અરવલ્લી : મેઘરજના પટેલ છાપરા ગામે વાવાઝોડામાં એક મહીલાનુ મોત

મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામના સુધાબેન અને તેમના પરીવારની અન્ય એક મહીલા સાંજના સમયે તેમના તબેલામાં દુધ દોહવા માટે ગયા હતા તે દરમિયાન સમી સાંજે પવન સાથે વાવાઝોડુ ફુંકાયુ હતુ જે વાવાઝોડામાં પટેલ છાપરા ગામે તબેલામાં દુધ દોહવા બેસેલ બે મહીલાઓને પતરા અને લોખંડની પાઈપો માથાના ભાગે વાગતા સુધાબેન ઉ.વ.આ.૪૫ રહે.પટેલછાપરાનુ મોત નીપજ્યુ હતુ જ્યારે પરીવારની અન્ય એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.