ડભોઇ : પ્રાંત અધિકારી કચેરી દ્વારા મતદાર જાગૃતી કાર્યક્રમ યોજાયો

ડભોઇ વડોદરા જીલ્લા કેડવણી મંડળ સંચાલીત શ્રી સી.એન.પી.એફ.આર્ટ્સ. એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ ના ઉપક્રમે મતદાન નોંધણી આધેકારી 140 વિધાન સભા વિભાગ અને પ્રાંત અધિકારી કચેરી દ્વારા મતદાર જાગૃતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નોડલ ઓફિસર ડો.સુધીર જોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થીત રહ્યા હતા.
ડભોઇ શ્રી સી.એન.પી.એફ.આર્ટ્સ. એન્ડ ડી.એન.સાયન્સ કોલેજના કોન્ફરન્સ હૉલ ખાતે મતદાર જાગૃતી કારણ અભીયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે નોડલ ઓફિસર –સ્વેપ વડોદરાના ડો.સુધીર જોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થીત રહી 200 ઉપરાંત એન.એસ.એસ.ના સ્વયં સેવકો ને ચૂંટણી માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ના કાર્યમાં જોડાઈ જા અપીલ કરી હતી જ્યારે મતદાન નું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય સુનિલ ભાઈ પટેલ દ્વારા મહેમાનો ને આવકારી રાષ્ટ્રીય કામગીરીમાં સૌ સાથે રહી જાગૃતી લાવવા પ્રયાસ કરવા જણાવ્યુ હતું. જ્યારે સમગ્ર પોરગ્રામ નું સંચાલન અશોકભાઈ બારીયા દ્વારા કરવાયું હતું આ પ્રસંગે યુવાનો ને શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગગે નાયબ મામલતદાર મતદાર યાદી વિભાગ ના ચૂંટણી અધીકારી પ્રવીણસિંહ ડોડીયા, 300 ઉપરાંત સ્વયં સેવકો તેમજ કોલેજ ના અધ્યાપકો ઉપસ્થીત રહ્યા હતા. અંતે પ્રોફેસર સુરેશભાઈ આહીર દ્વારા સૌ નો આભાર વ્યક્ત કરાયો હતો.