Palanpur : ચિત્રાસણી રેલવે ફાટક પર ટ્રેનમાં કૂદકો મારી યુવકે કરી આત્મહત્યા

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ માં આવેલ રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેનમાં કૂદકો મારી આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર.
હાલમાં જોવા જઈએ તો આપઘાત અકસ્માત તેમજ આત્મહત્યા ના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના ચિત્રાસણી રેલવે સ્ટેશન પર કોઈ અજાણ્યા યુવકે કોઈ કારણોસર ટ્રેનમાં કૂદકો મારી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જો કે યુવકે આત્મહત્યા કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું .આમ અચાનક આવી ઘટના ઘટતા લોકોના ટોળે ટોળા થઈ ગયા હતા ,અને યુવક પાસેથી મળેલા ડોક્યુમેન્ટ ઉપરથી જાણવા મળ્યું હતું કે યુવક પાલનપુર તાલુકાના મલાણા ગામના રહેવાશી ભીલ નાથુભાઈ શંકરભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કયા કારણોસર રેલવેમાં પડતું મૂકીને આત્મહત્યા કરી તે હજુ પણ જાણવા મળ્યું નથી. રેલવે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.