Surat : તસ્કરો ઘરમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી ફરાર

ઉધના હરીનગર 3 ખાતેના મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમે ઘરમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના હરીનગર 3 ખાતે રહેતા અનિશાબેન કીબલીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તઓના મકાનને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યો હતો. અને ઘરમાં મોંઘોદાટ મોબાઈલ તથા રોકડા રૂપિયા મુકેલ પર્સની ચોરી કરી ભાગી છુટ્યો હતો. હાલ તો નબાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.