Surat : પાંડેસરામાં જમીન વિવાદમાં દિન દહાડે યુવાનની હત્યા

લોહી તરસ્યા સુરતમાં રોજેરોજ હત્યાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. અસામાજિક તત્વો બેેફામ બની રહ્યા છે. ત્યારે પાંડેસરામાં જમીન વિવાદમાં દિન દહાડે યુવાનની હત્યા કરાતા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. અને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. રોજેરોજ અસામાજિક તત્વો લોકો પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. ત્યારે લોહી તરસ્યા સુરતમાં સોમવારે દિનદહાડે એક હત્યાની ઘટનાને અસામાજિક તત્વોએ અંજામ આપ્યો છે. જેમાં પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ મોહન નગરમાં જમીન વિવાદમાં રાજનસિંગ નામના ઈસમની અજાણ્યા ચાર થી પાંચ ઈસમો દ્વારા હત્યા કરાઈ હતી. હત્યાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતાં. અને તપાસ શરૂ કરી હતી. રાજનસિંગને અજાણ્યાઓ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હોસ્પિટલે ખસેડાયો હતો જો કે ટુંકી સારવાર બાદ જ તેનું મોત નિપજ્યુ હતું. હાલ પાંડેસરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.