Surat : પાંડેસરામાં માસ્ક વગર ફરતા નાગરિકોને દંડ ફટકાર્યો

એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હજુ પણ અનેક લોકો બેજવાબદાર થઈ માસ્ક વગર ફરી રહ્યા છે ત્યારે આવા જ લોકો સામે હવે તંત્રએ પણ લાલ આંખ કરી છે અને પાંડેસરામાં માસ્ક વગર ફરતા બે જવાબદાર નાગરિકોને દંડ ફટકાર્યો હતો.
સુરતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે રોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે જો કે હજુ પણ લોકો કોરોનાને સહજતાથી લઈ રહ્યા છે. ત્યારે કોરોનાને ડામવા હવે તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે. અને બેજવાબદાર લોકો સામે લાલ આંખ કરાઈ રહી છે. ત્યારે મંગળવારના રોજ સવારે મનપા દ્વારા પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની પાસે વગર માસ્ક નીકળતા લોકો પાસે દંડ લેવામાં આવ્યુ હતું. સાથે લોકને કોરોનાથી બચવા માટે તકેદારી રાખવા અપીલ કરાઈ હતી.