Surat : લુમ્સના કારખાનેદારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

અલથાણ ખાતે આવેલ એસ.એમ.સી. આવાસમાં રહેતા કારખાનેદારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ખારખાનેદારે એક વેપારીને લાખોનો કાપડનો માલ અપાવ્યો હતો જેમાં વેપારી ભાગી જતા ઉઘરાણી કરનારાઓના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો હાલ તો આક્ષેપ કરાયો છે.
અલથાણ ખાતે આવેલ મનપા આવાસમાં રહેતા લુમ્સના કારખાનેદાર અજય બસરાજ સિંગએ પત્નિ શાકભાજી લેવા ગઈ ત્યારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. અને તપાસ કરતા ખબર પડી હતી કે કારખાનેદાર અજય સિંગએ દલાલ મનોજ અને જગનનાથ સહિત ચાર સાથે મળી એક વેપારીને 28 લાખ 40 હજારનો માલ અપાવ્યો હતો જો કે કાપડનો જથ્થો લઈ વેપારી ભાગી છુટ્યો હતો. જેને લઈ અજય સિંગ પર ઉઘરાણી કરાતા તેઓએ 7 થી 8 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. જો કે તેમ છતા મનોજ અને જગન્નાથ સહિત શૈલેષ, નિલેશ, ગોવિડ અને સોનીનાઓ પૈસા માટે ત્રાસ આપતા હોય જેથી અજય સિંગ એ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ તો બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.