Surat : વધુ નવા 262 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 262 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 41,140 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 2 ના મોત સાથે મૃતાંક 1039 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 38,702 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 262 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 41,140 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 2 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1039 થયો છે. શનિવારે સુરત શહેરમાંથી 179 અને જિલ્લામાંથી 43 મળી કુલ 218 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 38,702 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,399 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 30,156 કોરોના પોઝિટિવ કેસમાં 758 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10,984 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 28,388 અને સુરત જિલ્લામાં 10,314 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.