Surat : શ્રી વેલનાથ યુવક મંડળ પુણાગામ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

શ્રી વેલનાથ યુવક મંડળ પુણાગામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 180 થિ વધારે રક્તની બોટલ એકત્રિત કરાય હતી.
વેલનાથ યુવક મંડળ પુણાગામ ખાતેની કલ્યાણ નગરની વાડી ખાતે ઉતરાણના આજના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને સમાજના નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કરીને 180 થી વધુ રક્તની બોટલો એકઠી કરાય હતી. આ પ્રસંગે શ્રી જયવેલનાથ યુવક મંડળના વિક્રમભાઈ, બંસીભાઈ, વલ્લભભાઈ, રાજેશ જોરીયા, પોલીસ વિભાગના ગોરીયા સાહેબ, પરેશભાઈ, સહિતના અનેકો લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આમ શ્રી જય વેલનાથ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન સફળ રીતે કરવામાં આવ્યું હતું.