Visavadar : સમભાવ મિત્ર મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વિસાવદર સમભાવ મિત્ર મંડળ દ્વારા આજરોજ ભારમલ લાતી ખાતે રોગ પ્રતિકારક શક્તિ વધારે તો અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
તારીખ.9.12.2020 થી 11.12.2020 સુધી એટલે કે ત્રણ દિવસ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે જેમાં આજે બીજા દિવસે પણ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસાવદર શહેર વાસીઓએ ઉકાળો પીધો હતો આ ઉકાળાથી કોઈપણ જાતના તાવ શરદી ઉધરસ કે ઋતુજન્ય રોગો સામે લડવાની શક્તિ વધારે છે
સમભાવ મિત્ર મંડળ વિસાવદર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારે તો અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું આ સંસ્થા છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે જેમાં વિવિધ જાતના કાર્યક્રમો કરવામાં આવે છે.
સમભાવ મિત્ર મંડળ દ્વારા ઋતુજન્ય રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમૃત પેય ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને સ્વેટર નું પણ વિતરણ કરવામાં આવે છે આ સંસ્થા ની સ્થાપના 1998 કરવામાં આવી હતી. અને અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે ભોજન પણ આ સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે