અમદાવાદ : શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર મધ્યમાં પડ્યું ગાબડું

અમદાવાદના ખોખરા થી હાટકેસવર સિટીએમ ને જોડતા શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર મધ્યમા જ પડ્યું ગાબડું. અધિકારીઓ દોડ્યા..
અમદાવાદના ખોખરા થી હાટકેસવર સિટીએમ ને જોડતા શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર મધ્યમા જ ગાબડું પડ્યું હતું.
મોટો અકસ્માત ટળ્યો ચાલુ ટ્રાફિક મા જ સવારે ગાબડું પડતા એક તરફ નો ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો.
એએમસીના તંત્ર એ બેરીકેડ લગાવી ગાબડા પર પતરાની આડશો મુકી દીધી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોરોપોરેશન પુલ વિભાગના અધિકારીઓ સહિત એન્જીનયરનો કાફલો દોડી આવ્યો હતો.
બે-એક વર્ષ પહેલા જ ખુલ્લા મુકાયેલ આ ઓવરબિજ પર ગાબડું પડતા તેના કામની ગુણવત્તા અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે