અરવલ્લી : વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ધામધૂમ થી ઉજવાઈ

મહા સુદ 13 એટલે ભગવાન વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતિ જેણે આ સૃષ્ટિ નું સર્જન કર્યું છે એવા વિશ્વકર્મ દાદા ની જન્મ જયંતિ અરવલ્લી જિલ્લા માં ધામધૂમ થી ઉજવાઈ
મોડાસા ખાતે આવેલ સુ પ્રસિદ્ધ વિશ્વકર્મા મંદિરે આજે ભગવાન વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત જંગીડ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા દાદા ના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ સમાજ ના આબાલવૃદ્ધ સૌ કોઈ આજના દિવસે ભગવાન વિશ્વકર્મા દાદા ની ભવ્ય શોભાયાત્રા માં જોડાયા અને મોડાસા ખાતે આવેલ દાદા ના મંદિરે સૌ કોઈ એ ભગવાન નો પ્રસાદ લીધો હતો અને પુરા ભાવ થી ભગવાન ની જન્મ જયંતિ ની ઉજવણી કરવા માં આવી