કાંકરેજ : તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં પાણી છોડવા માંગ કરાઈ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તાર માં પાણી છોડવા માટે કાંકરેજ મામલતદાર શ્રી એમ ટી રાજપૂત ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
શિહોરી સર્કિટ હાઉસ થી રેલી કાઢી ને જય જવાન જય કિસાન ના નારા સાથે કાંકરેજ તાલુકા ની બનાસ નદીના સાયફન માં પાણી છોડવા માટે સરકાર ને જગાડવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો એ માંગણી અંગે રજૂઆત કરીમુખ્ય મુદ્દા (૧) કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તાર માં ૧૦૦૦થી ૧૨૦૦ફૂટ ઊંડા પાણી હોવાથી સુજલામ સુફલામ્ નો કોઈજ લાભ મળ્યો નથી. જેથી કરીને કાંકરેજ તાલુકા કિસાન સંઘ ના પ્રમુખ શ્રી વાઘાભાઈ પટેલ એ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ પૂર્ણ કરવા માં નહિ આવે તો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં ધરણાં કાર્યક્રમ કરવામાં આવશે.