કાંકરેજ : વેપારી મથક થરા ખાતે સરકારી ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઉજાસ કલાસીસ &ઉજાસ રીડિંગ લાઈબ્રેરી થરા કાંકરેજ ખાતે સરકારી ભરતી અંગે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કેરિયર ગુરૂ" તરીકે જાણીતા શ્રી પ્રફુલભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહીને માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું રત્નાકર કોપ્લેક્ષ હોલમાં 200 થી વધુ સંખ્યામાં યુવાન યુવતીઓ માર્ગદર્શન સેમિનાર માં હાજર રહ્યા હતા સેમિનાર માર્ગદર્શનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા પચાયત પ્રમુખ ભુપતજી મકવાણા, જિલ્લા પચાય સહકાર સિચાઈ ચેરમેન બલાજી રાઠોડ,પુરણ સિંહ વાઘેલા વિનોદજી ઠાકોર રહ્યા હાજર