કચ્છ : પરપ્રાંતીય મજૂરોને અપાશે કોરોના વેકસીન

કચ્છમાં પરપ્રાંતીય મજૂરોને પણ કોરોના વેકસીન આપવામાં આવશે,જીઆઇડીસી તેમજ મોટા કોર્પોરેટ ઉધોગોમાં કામ કરતા શ્રમિકોને કોરોના રસી આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે આ માટેની અમલવારી પણ શરૂ થઈ છે
રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં મોટી સંખ્યામાં ઉધોગો આવેલા છે,કચ્છમાં હજારોની સંખ્યામાં ઉધોગો આવેલા છે તેમજ બે પોર્ટ પણ છે જ્યાં ગુજરાત બહારથી લોકો મજૂરી કામ માટે આવે છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે હવે કચ્છમાં પરપ્રાંતીય વ્યક્તિઓનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક કુમાર માઢકે જણાવ્યું કે,અત્યારસુધી અબડાસામાં સાંધી કંપની, લખપતમાં પાંધ્રો જીએમડીસી તેમજ કંડલા પોર્ટ અને ગાંધીધામના ઉધોગગૃહોમાં પરપ્રાંતિયોને રસી અપાઈ છે હવે અંજારમાં વેલ્સપન તેમજ ભુજ તાલુકાની કંપનીઓમાં પરપ્રાંતિયોને રસી અપાશે તબક્કાવાર સમગ્ર જિલ્લામાં જીઆઇડીસી અને ઉધોગોમાં કામ કરતા મજૂરોને રસી આપવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગના ઉપક્રમે આયોજન ગોઠવાયું છે