ગુજરાતના વહીવટી શાખાના IAS અધિકારીઓની બઢતી અને બદલી

ગુજરાતના વહીવટી શાખાના IAS અધિકારીઓની બઢતી અને બદલી

સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી વેકશન બાદ ગુજરાતના વહીવટી માળખામાં મોટી ફેર બદલીના ભણકારા વાગી રહ્યાં છે. જેમાં એકસાથે 60 થી વધારે આઈએએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ બદલીઓમાં અલગ-અલગ વિભાગના અધ્યક્ષ, જિલ્લા કલેકટરો, DDO, મ્યુનિસપિલ કમિશ્નરો સહિત બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓની બદલી સાથે 9 IAS અધિકારીઓની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે 9 IAS અધિકારીઓના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.