ગુજરાતમાં કોરોના કહેર - અમદાવાદમાં 332 અને સુરતમાં 241 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કહેર - અમદાવાદમાં 332 અને સુરતમાં 241 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે તા.5/12/2020 ના રોજ કોરોના વાયરસના નવા 1514 કેસની સામે આજે 1535 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,98,527 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 15 દર્દીઓના સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 4,064 પર પહોંચ્યો છે તો રાજ્યમાં હાલ સરકારી આંકડા મુજબ 90 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલમાં 14,742 એક્ટિવ કેસ સાથે રાજ્યમાં રિકવરી રેટ 91.35 ટકા થયો છે. ત્યારે રાજ્યમાં આજે કુલ 69,668 નવા ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંકડો 81,72,380 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 લોકોના મોત થતા અત્યાર સુધીમાં 2,109 લોકોના કોરોનથી મૌત થયા છે. આજે અમદાવાદ શહેરમાં - 296, અમદાવાદ જિલ્લામાં - 36, સુરત શહેરમાં - 202, સુરત જિલ્લામાં - 39, વડોદરા શહેરમાં - 137, વડોદરા જિલ્લામાં - 41, રાજકોટ શહેરમાં - 101, રાજકોટ જિલ્લામાં - 40, મહેસાણામાં - 73 કોરોનાના કેસ નોંધાયા છે.