ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મુખ્યમંત્રીએ શું કહ્યું વાંચો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મુખ્યમંત્રીએ શું કહ્યું વાંચો

હાલમાં જ ગુજરાત રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો જીતીને કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડ્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇ CM રુપાણીએ કહ્યું હતું કે લોકો વચ્ચે રહી લોકોની આશાઓ પૂર્ણ કરીશું. સ્થાનિક સ્વરાજ અને 2022માં પણ જંગી બહુમતિથી વિજય મેળવીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળીની ઉજવણી કરવા આજે રાજકોટ પહોંચ્યા છે. સીએમ રૂપાણીએ દિવાળી નિમિતે ચોપડા પુજન કર્યું સાથે CM રુપાણીએ દિવાળી પર્વની લોકોને શુભેચ્છા પાઠવી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ એક ટ્રેલર છે. આગામી દિવસોમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી જશે. લોકોએ PM મોદીના વિકાસની રાજનીતિ સ્વીકારી છે. સ્થાનિક સ્વરાજ અને 2022માં પણ જંગી બહુમતીથી વિજય મેળવીશું