ગીર સોમનાથ : વેરાવળમાં વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડ યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ માં વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડ યોજાઈ.
મેરેથોન દોડ માં વિદ્યાર્થીઓ ઉપરાંત અધિકારીઓ, પદાધિકારીઓ સાથે એન.જી.ઓ જોડાયા
ભારત સરકાર દ્વારા આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી સંદર્ભે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે ક્લિન ઇન્ડિયા ના કાર્યક્રમો સાથે લોકજાગૃતિ નું મહા અભિયાન ચાલી રહ્યું છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા રમતગમત વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા વેરાવળ માં મેરેથોન દોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી 2.5 કી. મી. ની યોજાયેલ મેરેથોન દોડ ને એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા દોડ ને ફ્લેગ ઓફ અપાયું...
વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા મેરેથોન દોડ માં એ.એસ.પી ઓમપ્રકાશ જાટ, જિલ્લા રમત ગમત અધિકારી, વિશાલ જોશી, સીટી પોલીસ ઇન્સ. ડી. ડી. પરમાર, હરેશભાઇ મકવાણા, સિનિયર કોચ હરેશ ભાલીયા, સંયોજક અર્જુન પરમાર સહિત અધિકારી ઓ પણ જોડાયા હતા.