જામજોધપુર : લોહાણા મહાજન વાડી ખાતે સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

જામજોધપુર શહેરમાં રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો.
જામજોધપુર શહેરમાં લોહાણા મહાજન વાડી ખાતે રિવાબા રવિદ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં સ્ત્રી સશક્તિકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહીતી આપી હતી.તથા મહિલાઓના આર્થિક અને સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.