જામનગર : સરદાર પટેલની 146 મી જન્મજયંતિ નિમિતે બાઈક રેલી યોજાઈ

જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સરદાર પટેલ ની 146 મી જન્મજયતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીનું પ્રસ્થાન પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ કરાવ્યું.
જામનગર જીલ્લા ના કાલાવડ શહેર માં સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સરદાર પટેલ ની 146 મી જન્મજયતિ નિમિત્તે બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ધોરાજી રોડ થી શહેરના મુખ્ય માર્ગો માંથી પસાર થઇ સરદાર પટેલ ના સ્ટેસ્ચ્યુ એ ફુલહાર કરી રેલી પૂર્ણ કરવામાં આવી હતી.રેલી નું પ્રસ્થાન પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ કરાવ્યું હતુ. અને આ રેલી માં શહેર અને તાલુકા ના યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.