થરાદ : મુળેશ્વર મહાદેવના મંદીરે ભુદેવો દ્વારા વિશ્વકલ્યાણ અર્થે મહાઅભિષેક

સુઈગામના પાડણ ગામ નજીક રણની કાંધી અડીને આવેલા ઐતિહાસિક મુળેશ્વર મહાદેવના મંદિરે હાલની કોરોના મહામારી ને લઈને વિશ્વના કલ્યાણ અર્થે છ પંડીતો દ્વારા મહા અભિષેક કરવામાં આવ્યો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી જેમા આચાર્ય જીગ્નેશભાઇ શાસ્ત્રી કુલદીપ ભાઈ વ્યાસ ગડસીસર સુનિલ ભાઈ દવે માડકા ગીરીશભાઈ દવે ચાળા કુલદીપ ભાઈ તીર્થગામ જનકભાઈ દવે રૈયા સંદીપ દવે થરાદ વિકાશ દવે થરાદ દ્વારા મૂળેશ્વર મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગ ઉપર મહાઅભિષેક કરવામાં આવ્યો બાદ મૂળેશ્વર મહાદેવ ના મંદિર ઉપર વિધિવત રીતે 21 ફૂટની ધજા પણ ચડાવવામા આવી