ધારી : ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો

ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા ધારી ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો.
શ્રી ગાયત્રી ફાઉન્ડેશન-ધારી દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) કાર્ડ વિનામૂલ્યે કાઢવાનો કેમ્પ કોળીપાશેરી ખાતે રાત્રીના આયોજીત કરવામાં આવેલ હતો. જેથી લોકો ને પોતાના ધંધા રોજગાર મૂકી આ કાર્ડ માટે જવું ના પડે.આ કાર્યક્રમ માં ગાયત્રી ફાઉન્ડેશન ના હિતેશભાઈ જોશી,ભરતભાઈ શેઠ,ભરતભાઈ પરમાર,ડો.વરુણભાઈ દેવમુરારી,રાજેશભાઇવાઘેલા(ભાદરવો),વિજયભાઈ સોલંકી,રિધ્ધેશભાઈ જોશી,કૌશિકભાઈ વ્યાસ,વિજયભાઈ જોશી,અશ્વિનભાઈ ગજેરા,ઉદયભાઈ ચોલેરા ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ માં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્ડ કઢાવેલ હતા.તેમજ આગામી દિવસો માં ધારી શહેર ના અન્ય વિસ્તારો માં આ કેમ્પ ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.