ધોરાજી : લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયા ની દ્વિતીય વાર્ષિક પુર્ણયતિથી નિમિતે મહા રક્તદાન કેમ્પ ધોરાજી ના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કાર્યક્રમ થયો
રાજકોટ જિલ્લાના ધોરાજી માં લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આજરોજ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું.. ધોરાજી ખોડલધામ યુવા સમિતિ, રેડ ક્રોસ બ્લડ બેન્ક ના સહયોગથી આ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું.. ખેડૂતોના અડીખમ નેતા એવા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જયેશભાઇ રાદડીયા હાજર રહ્યા હતા અને રક્તદાતાઓ નો અને રેડ ક્રોસ બ્લડ બેન્ક અને યુવા સમિતિ નો આભાર વ્યક્ત કર્યો હતો.200 થી 300 રક્તબોટલ એકત્રિત થઈ હતી. કાર્યકર્તા તેમજ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.