બનાસકાંઠા : ભીલડીમાં વધુ 4 દર્દી કોરોનાને માત આપી ઘરે ગયા

ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બનાવવામાં આવેલ 20 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દી જેમાં આજ દિન સુધી કુલ 62 દર્દીઓ સારવાર લઈ ચુકેલ જેમાં ગુરૂવારે ચાર દર્દીઓ સ્વસ્થ થઈ ને ઘરે પરત ફરેલ છે.જેમાં અગાઉ પણ 27 દર્દીઓ સ્વસ્થ થઈ ને ઘરે પરત ફરેલ છે.જેમા આજ દિનસુધી 31 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ને ઘરે પરત ફરેલ છે.જેમા ચાર નુ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.જેમા વધુ સારવાર માટે 5 દર્દીઓને રીફર કરેલ છે.જેમા અત્યારે 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ભીલડી પંથકમાં કોવિડ હોસ્પિટલ લોકો માટે આર્શીવાદ રૂપ બની રહી છે.જેમા કોરોનાના ચાર દર્દીને ગુરૂવારે હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓ અને ગામના આગેવાનો દ્વારા પુષ્પવર્ષા અને તાળીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમા દર્દીઓ એ ડોક્ટર અને આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો હતો.