ભાવનગર : કોરોનામાં મૃત્યુ પામનારને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

દેશ ભરમાં કોરોના વાયરસે માનવ જિંદગીને ભરખી લીધો છે. કોવિડ 19 કહેવાતા આ વાયર્સમાં મનુષ્ય લાચાર બન્યો છે. કોરોનાની બંને લહેરમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કોરોના સામે ડોક્ટર, નર્સિંગસ્ટાફ દિવસ અને રાત માનવ જિંગદગીને બચાવવા ભારે જહેમત ઉઠાવી છે પરંતુ વધતા જતા કોરોના કેશ એ એક મોટો પડકાર બની ગયો હતો ત્યારે કોરોના સામે કેટલાક લોકોએ જિંદગીની જંગ જીતી છે તો કેટલાક દર્દીઓએ કોરોનામાં મૃત્યુ પામ્યા છે દેશ ને રાજ્યમાં અનેક પરિવારો એ પોતાના સજાનો ગુમાવ્યા છે ત્યારે ભાવનગર ઘોઘા ગેટ સામે ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા ભારત બુધેલીયા, તેમજ વિવિધ સેલના આગેવાનો હજાર રહ્યા હતા