ભરૂચ : સક્રિય પત્રકાર સંઘ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

પત્રકારત્વ સાથે સામાજિક જવાબદારી પણ નિભાવતું ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા કોવિડ સ્મશાન ખાતે લાકડા દાન આપવામાં આવ્યા હતા,જ્યારે શક્તિનાથ સર્કલ નજીક બેસતા શાકભાજી લારી ગલ્લાવાળાઓને અને પાંચબત્તી સર્કલ પર માસ્ક વગર ફરતા વાહન ચાલકોને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને સંઘના સભ્ય કમલેશ પંચાલના સહયોગથી અને સંઘના સભ્યોની ઉપસ્થિતિમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, માસ્ક વિતરણ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમારે જણાવ્યું હતું કે શહેરમાં કોરોના ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાવચેતી જરૂરી બની છે માસ્ક પહેરવું, શોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી બન્યું છે, બે વેંતનું માસ્ક કેટલાયનું જીવન બચાવે છે.