મુંબઈ : ઘાટકોપરમાં બનેલ હત્યા પ્રકરણમાં સાત લોકોની કરાઈ ધરપકડ

ઘાટકોપર સ્થિત આવેલ રમાબાઈ નગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક વીસ વર્ષીય યુવકની ધારદાર હથ્યાર વડે હત્યા કરાઈ હતી.મૃતક યુવાન ની ઓળખ વિશાલ રામ તરીકે થઈ છે.આ સમગ્ર પ્રકરણમાં પંતનગર પોલીસે સાત લોકો ની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર વિશાલનો એક એપ્રિલે પોતાના વિસ્તારના કેટલાક લોકો સાથે જગડો થયો હતો.આ જગડાનો બદલો લેવાની ભાવનાથી બે એપ્રિલે વિશાલ ને તેના ઘરે થી બહાર બોલવામાં આવ્યો હતો.બહાર બોલાવીને કેટલાક લોકો તેને રમાબાઈ નગર વિસ્તારમાં લઈ ગયા હતા ને ત્યાં વિશાલ પર આરોપીઓ એ લાકડી,લોખંડ ના રોડ વડે હુમલો કર્યો હતો.વિશાલ આ હુમલામાં ગંભીર પણે ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેજ તેનું મોત થયું હતું.આ ઘટના થી સમાગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર ઘટનામાં પંતનગર પોલીસે સાત આરોપીઓ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.