મુંબઈ : ભાંડુપ ખાતે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

ભાંડુપમાં ડ્રીમ મોલમાં આવેલ સનરાઇઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ ભાંડુપ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.મળતી માહિતી મુજબ આગની આ ઘટના માં મોટાભાગના દર્દીઓ ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકો નું મોત થયું હતું.આગનું કારણ હજુ જાણી શકાયું નથી.