મહીસાગર : વિરપુરના પ્રજાપતિ પરીવારની માટીના ગરબા બનાવવાની હસ્ત કળા

મહીસાગર જીલ્લાના વિરપુરના પ્રજાપતિ પરીવારની ૫ મી પેઢી માટીના ગરબા બનાવાનો ધંધો આગળ ધપાવે છે.
દિવાળી અને નવરાત્રીનું પર્વ આવ્યું એટલે પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં માતાજીના ગરબા આપવા માટે પ્રજાપતિ સમાજના લોકો આવે છે મોટા શહેરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આ પરમ્પરા જળવાઈ રહી છે જો કે બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા આપણા કારીગરોની મૂળભૂત હસ્ત કળા પર મરણતોલ ફટકો પડ્યો છે પરંતુ હજુ પણ માટી કળા જીલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ સમાજના કારીગરોઓએ આજે પણ આ કળાને સાચવી રાખી છે
નવરાત્રિમાં હવેના સમયમાં ચાઇનીઝ વસ્તુઓ જેવી કે ઇલેક્ટ્રિક લાઈટો, સિરીઝો, ઇલેક્ટ્રિક દીવડાઓ વગેરેનું ચલણ વધી રહ્યું છે ત્યારે વિરપુરના ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ પરિવાર આજે લગભગ પાંચમી પેઢીએ પણ તેમનો વારસાગત એવું માટીકામ કલાકારી કરી રહ્યો છે તે તહેવારોમાં માટીમાંથી ખાસ પ્રકારની વસ્તુઓ બનાવે છે તેવા સમયે નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પરિવાર દ્વારા ઇકોફ્રેન્ડલી ગરબા, નાના છોકરાઓ નવરાત્રિમાં સાંજે લઇને ફરતા હોય તે ધોધા, કોડિયાં વગેરે બનાવવાની કામગીરી શરૂ છે તો તેને રંગરોગાન પણ કરી નવુ રૂપ આપવામાં આવે છે માતાજીનો ગરબો ખરીદવા હાલ બજારમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહ્યા છે ત્યારે માત્ર વિરપુર જ નહિ પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં અહી ગરબો ખરીદવા ઉમટી પડે છે આજના આધુનિક યુગમાં નવરાત્રીનું પણ આધુનીકરણ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વિરપુર નગરમાં આજે પણ નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાને ખરીદી તેમાં દીવો પ્રગટાવવાની પરંપરા અને સંસ્કૃતિ અકબંધ છે બજારમાં મળતા તાંબા અને પીતળના ગરબાની જગ્યા એ આજે પણ વિરપુર તાલુકામાં માટીના ગરબાનું આગવું મહત્વ છે.