સંતરામપુર : મહીસાગર જિલ્લામાં આજે ૭ર દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૦૯ સ્ત્રી, ૧૫ પુરૂષ, કડાણા તાલુકાની ૦૮ સ્ત્રી,
૦૫ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૬ સ્ત્રી, ૦૪ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૧૧ સ્ત્રી, ૧૮ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૯ સ્ત્રી, ૧ર પુરૂષ અને વિરપુર તાલુકાના ૦૮ પુરૂષના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૯-૦૪-૨૦૨૧ ના સાંજના
૫-૦૦ વાગ્યા સુધીમાં ૪ર૬૧ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લાતમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૦૬ સ્ત્રી અને ૦૬ પુરૂષ, કડાણા તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૭ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૩ સ્ત્રીડ અને ૦૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની
૦૬ સ્ત્રી, ૦૭ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૬ સ્ત્રી, ર૦ પુરૂષ અને વિરપુર તાલુકાની ૦૧ સ્ત્રીપ અને ૦૪ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.
આમ, જિલ્લાંમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૬૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૧૪ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૪૦ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૫૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૧૯૯૩૦૬ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૨ દર્દી ડીસ્ટ્રીિકટ હોસ્પિેટલ-લુણાવાડા, ૬૮૯ દર્દી હોમ આઇસોલેશન, પ૦ દર્દી એસ.ડી.એચ.સંતરામપુર, ૫૫ દર્દી અન્ય જિલ્લા ખાતે અને ર૧૮ દર્દી પ્રાઇવેટ હોસ્પિ‍ટલ મહીસાગર ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૮૮૭ દર્દીઓ સ્ટેબલ અને ૧૪૯ દર્દીઓ ઓક્સિજન પર અને
૦૮ વેન્ટીલેટર પર છે.