સુરત : ઉધના દરવાજા પાસે રિલાયન્સ મોલમાં મનપાની ટીમ દ્વારા દરોડા

સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તમામ થિયેટરો બંધ રાખવાનો આદેશ હોવા ઉધના દરવાજા પાસે આવેલ રિલાયન્સ મોલમાં આઈનોક્ષ થિયેટર ચાલુ હોય જ્યાં મનપાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.
સુરતમાં કોરોનાએ મહામારી ફેલાવી છે અને તંત્ર કોરોના સંક્રમણ કાબુમાં લેવા માટે અનેક કડક નિર્ણયો પણ લઈ રહ્યો છે. અને શહેરમાં આવેલા તમામ થિયેટરો પણ તંત્ર દ્વારા બંધ કરાવામાં આવ્યા છે. ત્યારે ઉધના દરવાજા ખાતે આવેલ રિલાયન્સ મોલમાં ચાલતા આઈનોક્ષ થિયેટર ચાલી રહ્યુ હોવાની માહિતી મળતા જ મનપાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને થિયેટરને બંધ કરાવવામાં આવ્યુ હતું. સાથે મોલ ના સંચાલકોને વોર્નિગ આપી હતી. અને જો હવે થિયેટર શરૂ કરાશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યુ હતું.