સુરત : ઉમીયા રેસીડેન્સીની શ્રેયા ટ્રેડર્સમાં લાખોની મત્તા ચોરી

પાંડેસરા ખાતે આવેલ મીલન પોઈન્ટ પાસે ઉમીયા રેસીડેન્સીની શ્રેયા ટ્રેડર્સને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ ઓડીસ્સાનો અને હાલ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા પીતાંબર દત્તએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ પાંડેસરા મિલન પોઈન્ટ ખાતે આવેલ ઉમીયા રેસીડેન્સીમાં શ્રેયા ટ્રેડર્સ નામે દુકાન ધરાવે છે. અને તેઓની દુકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી હતી. અને દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં મુકેલ ટી.એફ.ઓ. મશીનના સ્પેરપાર્ટો મળી 1 લાખ 74 હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.