સુરત : કૈલાશધામ સોસાયટીના મકાનને તસ્કરોએ બનાવ્યો નિશાન

જહાંગીરપુરા ખાતે આવેલ કૈલાશધામ સોસાયટીના મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલ કૈલાશધામ સોસાયટીમાં રહેતા રૂપેશ પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો. અને તેઓના ઘરમાં ઘુસી કબાટમાં મુકેલ રોકડા રૂપિયા તથા સોનાના દાગીના મળી 1 લાખ 84 હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.